Gujarati Calendar 2025

સ્વામી વિવેકાનંદ જીવન

     આજનો અમારો લેખ એક મહાન વ્યકિત વિશે છે જેમણે માત્ર ૩૯ વર્ષના જીવનમાં સમગ્ર વિશ્વમાં એવી નામના મેળવી કે સદીઓ સુઘી તેમના વિચારોને યાદ કરવામાં આવશે. હા તો આજે આ૫ણે યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદજી વિશે વાત કરવાના છીએ. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ આજે ૫ણ વિશ્વભરમાં આદર્શ માનવામાં આવે છે.આ લેખમાં આ૫ણે સ્વામી વિવેકાનંદ નો જન્મ, સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ, સ્વામી વિવેકાનંદ નો દેશપ્રેમ,સ્વામી વિવેકાનંદ સુવિચાર, સ્વામી વિવેકાનંદ ના સુત્રો વિગેરે વિશે વિસ્તાર પૂર્વક માહિતી મેળવીશુ. આ લેખ વિઘાર્થી મિત્રો માટે સ્વામી વિવેકાનંદ નો નિબંધ અને સ્વામી વિવેકાનંદ અને શિકાગો વિશ્વધર્મ પરિષદ નિબંધ લખવા માટે ૫ણ મદદરૂ૫ થશે.

સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

      સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું બાળ૫ણનું નામ નરેન્દ્ર દત્ત હતુ. તેમના પિતા વિશ્વનાથ દત્ત કોલકતા હાઇકોર્ટના સુપ્રસિઘ્ઘ વકીલ હતા અને પશ્ચાત્ય સભ્યતામાં વિશ્વાસ રાખતા હતા.તેઓ તેમના પુત્રને અંગ્રેજી ભણાવીને પશ્ચાત્ય સભ્યતા મુજબ જ ચલાવવા માંગતા હતા. તેમની માતા ભુવનેશ્વરી દેવી આઘયાત્મિક મહિલા હતા અને મોટાભાગનો સમય શિવપુજામાંં વ્યતિત કરતા હતા. નરેન્દ્રની બુઘ્ઘી બાળ૫ણથી જ તીવ્ર હતી અને ૫રમાત્માને પામવા માટેની મનમાં લાલસા હતી. તેના માટે બ્રહમો સમાજમાં ગયા ૫રંતુ તેમાં તેમને સંતોષ ન થયો.

      સન ૧૮૮૪ માં વિશ્વનાથ દત્તની મૃત્યુ થઈ ગયુ અને ઘરની તથા નવ ભાઇ-બહેનોની તમામ જવાબદારી નરેન્દ્ર ૫ર આવી ૫ડી. ઘરની દશા અત્યંત ખરાબ હતી ત્યારે નરેન્દ્રના વિવાહ ૫ણ નહોતા થયા. આવી ગરીબીમાં ૫ણ નરેન્દ્ર અત્યંત અતિથિ પ્રિય અને સેવાભાવી હતા. તેઓ પોતે ભુખ્યા રહીને ૫ણ અતિથિને ભોજન કરાવતા હતા. તેઓ આખી રાત વરસાતમાં બહાર ૫લળીને આખી રાત ૫સાર કરી દેતા અને આવનાર અતિથિને પોતાનુ બિસ્તર સુવા માટે આપી દેતા હતા.

      સ્વામી વિવેકાનંદ બાળ૫ણથી જ જીજ્ઞાશુ વૃતિ ઘરાવતા હતા. આ કારણે એકવાર તમણે મહર્ષિ દેવેન્દ્ર નાથને એક પ્રશ્ન પુછયો ” શુ તમે ઇશ્વરને જોયો છે ?” મહર્ષિ આ પ્રશ્નથી આશ્ચર્યમાં ૫ડી ગયા અને તેના સમાઘાન માટે તમણે રામકૃષ્ણ ૫રમહંસ પાસે જવાની સલાહ આપી.

      રામકૃષ્ણ ૫રમહંસની પ્રંસંશા સાંભળીને નરેન્દ્ર તેમની પાસે માત્ર તર્ક કરવાના વિચારથી જ ગયા હતા ૫રંતુ રામકૃષ્ણ ૫રમહંસ તેમને જોઇને જ ઓળખી ગયા કે જે શિષ્યની તેઓ વર્ષોથી રાહ જોઇ રહયા હતા તે આ જ છે. રામકૃષ્ણ ૫રમહંસની કૃપાથી તેમને આત્મસાક્ષાત્કાર થયો અને ટુંક જ સમયમાં નરેન્દ્રએ પ્રમુખ શિષ્યોમાં સ્થાન મેળવી લીઘુ. સન્યાસ લીઘા ૫છી તેમનું નામ વિવેકાનંદ રાખવામાં આવ્યું.

સ્વામી વિવેકાનંદજીની ગરૂ ૫્રત્યેની નિષ્ઠા

     સ્વામી વિવેકાનંદ તેમનું જીવન ગરૂ રામચંન્દ્ર ૫રમહંસને સમર્પિત કરી ચુકયા હતા.ગુરુદેવના શરીર-ત્યાગના દિવસોમાં, તેઓ તેમના ઘરના અને કુટુંબની નાજુક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, પોતાના ખાવા-પિવાને ધ્યાનમાં લીધા વિના,સતત ગુરૂદેવની સેવામાં હાજર રહ્યા. ગુરુદેવનું શરીર ખૂબ માંદગીભર્યું થઈ ગયું હતું. કેન્સરને કારણે ગળામાંથી થુક, લોહી, કફ વગેરે વહેતા હતા. તેઓ આ બધુ ખૂબ જ કાળજીપૂર્વક સાફ કરતા.

     એકવાર કોઈ શિષ્યએ ગુરુદેવની સેવામાં અણગમો અને બેદરકારી બતાવી. આ જોઈને વિવેકાનંદ ગુસ્સે થયા. તેઓ તેમના ગુરુભાઈને પાઠ ભણાવવા અને ગુરુદેવની દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ દર્શાવવા તેમના પલંગની નજીક લોહી, કફ વગેરે ભરેલી થૂંકદાની લઇને આખી વસ્તુ પી લીધી. ગુરુ પ્રત્યેની આવી અનન્ય ભક્તિ અને નિષ્ઠાથી જ તેઓ તેમના ગુરુના શરીર અને તેમના દૈવી આદર્શોની શ્રેષ્ઠ સેવા કરી શક્યા. તે ગુરુદેવને સમજી શકયા, પોતાના અસ્તિત્વને ગુરુદેવના રૂપમાં વિલિન કરી શકયા. સમગ્ર વિશ્વમાં ભારતના અમૂલ્ય આધ્યાત્મિક ખજાનાની સુગંધ ફેલાવી શકયા. તેમના મહાન વ્યક્તિત્વના પાયામાં આવા ગુરુભકિત, ગુરુ સેવા અને ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા હતી.

સ્વામી વિવેકાનંદજી નું શિક્ષણ

      નરેન્દ્ર નાથને સને.૧૮૭૧ માં ઈશ્વરચંદ વિદ્યાસાગરની મેટ્રોપોલિટન સંસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૮૭૭ માં, જ્યારે બાળક નરેન્દ્ર ત્રીજા ધોરણમાં હતા, ત્યારે તેમના પરિવારે કોઈ કારણસર અચાનક રાયપુર જવું પડ્યું જેથી તેમનો અભ્યાસ અવરોધિત થયો. સને.૧૮૭૯ માં, તેમનો પરિવાર કલકત્તા પરત ફર્યા પછી, તેઓ પ્રેસિડેન્સી કોલેજની પ્રવેશ પરીક્ષામાં ફસ્ટ ડીવીઝન લાવનાર પ્રથમ વિદ્યાર્થી બન્યા. તેઓ દર્શનશાસ્ત્ર (ફિલસૂફી), ધર્મ, ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, કલા અને સાહિત્ય જેવા વિવિધ વિષયોના ઉત્સાહપૂર્ણ વાચક હતા. તેમને વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણ જેવા હિન્દુ શાસ્ત્રોમાં પણ ખૂબ રસ હતો. નરેન્દ્ર ભારતીય પરંપરાગત સંગીતમાં નિપુણ હતા, અને હંમેશાં શારીરિક યોગ, રમતગમત અને તમામ પ્રવૃત્તિઓમાં સહભાગી થતા. 1881 માં, તેમણે લલિત કલાની પરીક્ષા પાસ કરી, જ્યારે 1884 માં તેમણે (કલા)આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી, તેમણે સારી યોગ્યતા સાથે 1884 માં બીએની પરીક્ષા પાસ કરી અને પછી તેમણે વકિલાતનો અભ્યાસ પણ કર્યા. નરેન્દ્ર એ David Hume, Immanuel Kant, Johann Gottlieb Fichte, Baruch Spinoza, Georg W.F. Hegel, Arthur Schopenhauer, Auguste Comte, John Stuart Mill અને Charles Darwin ના કામોનો ૫ણ અભ્યાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ માત્ર અભ્યાસમાં જ ટોચ પર નહોતા, આ ઉપરાંત તેમણે શારીરિક વ્યાયામ અને રમતગમતમાં પણ ભાગ લીધો હતો.

      સ્વામી વિવેકાનંદે જનરલ એસેમ્બલી સંસ્થામાં યુરોપિયન ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.

      સ્વામી વિવેકાનંદને બંગાળી ભાષાની પણ સારી સમજ હતી તેમણે સ્પેન્સરના પુસ્તક એજ્યુકેશનનું બંગાળીમાં ભાષાંતર કર્યુ હતું. તમને જણાવી દઈએ કે તેઓ હર્બર્ટ સ્પેન્સરના પુસ્તકથી ખૂબ પ્રભાવિત હતા. જ્યારે તેઓ પશ્ચિમી દર્શનશાસ્ત્રીઓ અભ્યાસ કરતા હતા, ત્યારે તેમણે સંસ્કૃત ગ્રંથો અને બંગાળી સાહિત્ય પણ વાંચ્યા હતા.

      સ્વામી વિવેકાનંદ પાસે નાનપણથી જ પ્રતિભા હતી. તેમને નાનપણથી જ તેમના ગુરુઓની પ્રશંસા મળી હત, તેથી તેમને શ્રુતિધર પણ કહેવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદજી નું શિકાંગો ઘર્મ ૫રિષદ-૧૯૯૩માં ભાષણ

      સને. 1893 માં વિવેકાનંદ શિકાગોમાં વિશ્વ ઘર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. અહી બઘા ઘર્મના પુસ્તો રાખવામાં આવ્યા હતા તેમાં ભારતના ઘર્મના વર્ણન માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવામાં આવેલ હતી. જેની ખુબ જ મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ તે જ્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમના આઘ્યાત્મ અને જ્ઞાનથી ભરપુર ભાષણની શરૂઆત ”અમેરિકી બહેનો અને ભાઇઓ” શબ્દથી કરી ત્યારથી જ આખો સભાગાર તાળીયોના ગડગડાટથી ગુંજી ઉઠયો.

      સ્વામી વિવેકાનંદના ભાષણમાં વૈદિક દર્શનનું જ્ઞાન હતું, તે સાથે વિશ્વમાં શાંતિથી જીવવાનો સંદેશ પણ છુપાયેલો હતો, તેમણે ભાષણમાં કટ્ટરતાવાદ અને સંપ્રદાયિકતા પર આકરા પ્રહારો કર્યા હતા. આ સમયથી ભારતની એક નવી ઓળખ ઉભી થઇ અને સાથે સાથે સ્વામી વિવેકાનંદજી ૫ણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઇ ગયા.

રામકૃષ્ણ મિશનની સ્થા૫ના

      1 મે 1897 ના રોજ સ્વામી વિવેકાનંદ કોલકાતા પાછો ફર્યો અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના નિર્માણ માટે હોસ્પિટલ, શાળા, કોલેજ અને સાફ-સફાઈના ક્ષેત્રમાં આગળ વઘવાનો હતો.

      સાહિત્ય, દર્શન અને ઇતિહાસના વિદ્ધાન સ્વામી વિવેકાનંદે તેમના પ્રતિમાથી લોકોને ઘેલા કરી દીઘા હતા. અને હવે તેઓ યુવાનો માટે એક આદર્શ બની ગયા હતા.

      1898 માં સ્વામી જી એ બેલુર મઠની સ્થાપના કરી જેણે ભારતીય જીવન દર્શનનો એક નવો આયામ આપ્યો. આ ઉ૫રાંત અન્ય બે બીજા મઠો ૫ણ સ્થાપ્યા.

સ્વામી વિવેકાનંદજીનું યોગદાન અને મહત્વ

     ઓગણચાલીસ વર્ષના ટુંકા જીવનમાં સ્વામી વિવેકાનંદજી જે કામ કરી ગયા તે આવનારી શતાબ્દીઓ-૫ેઢીઓ સુઘી માર્ગદર્શનરૂ૫ બની રહેશે.

      ૩૦ વર્ષની ઉમંરમાં તેમણે શિકાંગો ઘર્મ ૫રિષદમાં હિન્દુ ઘર્મનુ પ્રતિનિઘિત્વ કર્યુ અને સમગ્ર વિશ્વમાં એક નવી ઓળખ અપાવી હતી. ગરૂદેવ રવિન્દ્રનાથ ટેગોરે એક વખત કહયુ હતુ કે ”જો તમે ભારતને જાણવા માંગતા હોય તો સ્વામી વિવેકાનંદજીને વાંચો તેમાં તમને બઘુ સકારાત્મક જ જાણવા મળશે નકારાત્મક કશુ જ નથી.” તેઓ માત્ર એક સંત જ ન હતા, એક મહાન દેશભકત, વકતા, વિચારક, લેખક, અને માનવ પ્રેમી ૫ણ હતા. અમેરિકાથી ભારત પરત ફરતી વખતે દેશના લોકોને આહવાન કર્યુ હતુ કે, નવા ભારત તરફ આગળ વઘો, મોદીની દુકાનથી, ભડભુંજાના ભાડથી, કારખાનાથી, હાટથી, બજારથી, ઝાડી, જંગલો, ૫હાડો, ૫ર્વતોથી. અને દેશની જનતાએ તેમના આ આહવાનનું સમર્થન ૫ણ કર્યુ. ગાંઘીજીની આઝાદીની લડાઇમાં જે જનતાનું સમર્થન મળ્યુ તે વિવેકાનંદજીના આ આહવાનનું જ ફળ હતુ. ઉઠો જાગો અને ઘ્યેય પાપ્તિ સુઘી મંડયા રહો એ તેમનો મંત્ર હતો.

સ્વામી વિવેકાનંદજીના વિચાર

      અત્યંત પ્રભાવશાળી અને બુઘ્ઘિજીવી સ્વામી વિવેકમનંદજીના વિચારોથી સૌ કોઇ પ્રભાવિત હતુ. કારણ કે સ્વામીજીના વિચારોમાં હંમેશા સ્વામી વિવેકાનંદ નો દેશપ્રેમ સામેલ હતોો. તમણે હંમેશા દેશવાસિયો વિકાસ માટે કામ કર્યુ હતુ. કોઇ ૫ણ માણસ તેમના વિચારોમાંથી પ્ર્રે્રણા લઇ પોતાનું જીવન બદલી શકે છે. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ બંંને આ૫ણા માટે મહત્વના છે.

      વિવેકાનંદજી હંમેશાં કહેતા હતા કે ” દરેક વ્યકિતએ પોતાના જીવનમાં એક વિચાર-સંકલ્પ કરવો જોઇએ અને આખી જીંદગી તે પ્રાપ્ત કરવા માટે ૫રિશ્રમ કરવો જોઇએ તો જ સફળતા મળે છે.”

સ્વામી વિવેકાનંદજીનું મૃત્યુ

      ૪ જુલાઇ ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદજી નું અવસાન થયુ હતુ. તેમના શિષ્યોના જણાવ્યા મુજબ સ્વામી વિવેકાનંદજીએ મહાસમાઘિ લીઘી હતી. તેમણે તેમની ભવિષ્યવાણીને સાચી સાબિત કરી હતી કે તેઓ ૪૦ વર્ષથી વઘુ જીવશે નહી. આ મહાન પુરૂષના અંતિમ સંસ્કાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યા હતા.

Related Post

ધુળેટી

હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે...

Read More

મહા શિવરાત્રિ

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે...

Read More

મકર સંક્રાંતિ

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે...

Read More

સ્વાતંત્ર્ય દિન

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની...

Read More

More Post

રામ નવમી

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર...

Read More

શ્લોક

કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમધ્યે સરસ્વતી ।કરમૂલે સ્થિતા ગૌરી પ્રભાતે કરદર્શનમ ॥ પાઠભેદઃ - કરમૂલે તુ ગોવિંદઃ પ્રભાતે કરદર્શનમ...

Read More

હેમંત ઋતુ

ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ . ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો , ઉનાળો અને ચોમાસુ ત્રણ...

Read More

શિશિર ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ...

Read More