ભગવાન શ્રી પરશુરામ જયંતિ
શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ,પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે. માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.
અખાત્રીજની ભગવાન પરશુરામ અવતારની પણ શુભ ઘડી માનવામાં આવે છે. આ માટે આ દિવસ ખાસપ્રકારે ભગવાન પરશુરામની પૂજા કરી તેની ઉપાસનામાં વિશેષ મંત્રની સાથે કરવાથી માનસિક સંતાપ, પરેશાનિઓનો અંત થાય છે સાથે જ મનોબળ અને ઈચ્છા શક્તિ મજબૂત બનાવનાર માનવામાં આવે છે.
ભગવાન પરશુરામનો જન્મ રાતની પહેલા પ્રહરમાં માનવામાં આવે છે. આ માટે સાંજના સમયમાં તેની પૂજાનું મહત્વ છે. અક્ષય તૃતિયાને સવારે સ્નાન કરી સાંજ સુધી મન શાંત રાખી મૌન વ્રત રાખો.
સાંજના સમયે સ્નાન કર્યા પછી દેવાલયમાં કે ભગવાન પરશુરામની પંચોપચાર પૂજા કે ગંધ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય અર્પણ કરી ધૂપ અને દીપ આરતી કરો.
– પૂજા પછી આ પરશુરામ ગાયત્રી મંત્રથી ભગવાન પરશુરામનું સ્મરણ કરો –
ॐ जमदग्न्याय विद्महे
महावीराय धीमहि
तन्नो परशुराम: प्रचोदयात।
હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે. ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના થયો હતો. પ્રતિ વર્ષ ભગવાન પરશુરામ જયંતી હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા વધારે ધામધૂમથી મનાવવામાં આવે છે.
ભગવાન પરશુરામના જન્મની સાથે બે દંતકથાઓ પ્રચલિત છે. હરિવંશપુરાણ અનુસાર તેમાંથી એક કથા આ પ્રકારે છે.
પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરી પર શક્તિશાળી હૈયયવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રબાહુ)નું શાસન હતુ. તે વધારે અભિમાની હતો અને અત્યાચારી પણ. એક વખત અગ્નિદેવે તેને ભોજન કરાવવાનો આગ્રહ કર્યો. ત્યારે સહસ્ત્રબાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે આપ જ્યારથી ઈચ્છો, ભોજન પ્રાપ્ત કરી શકો છો. બધે મારું જ રાજ છે. ત્યારે અગ્નિદેવે વનોને બાળવાનું શરૂ કરી દીધું. એક વનમાં ઋષિ આ પણ વન તપસ્યા કરી રહ્યા હતા.
અગ્નિએ તેના આશ્રમને પણ બાળી દીધો. તેનાથી ક્રોધિત થઈને ઋષીએ સહસ્ત્રબાહુને શ્રાપ દીધો કે ભગવાન વિષ્ણુ, પરશુરામના રૂપમાં જન્મ લેશે અને ન માત્ર સહસ્ત્રબાહુનો પણ સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ શ્રાપના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જમદગ્નિને પાંચ પાંડવ પુત્રોના રૂપમાં જન્મ લીધો.
એક અન્ય કથા અનુસાર જ્યારે ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધારે થવા લાગ્યો તો પૃથ્વી માતા ગાયના રૂપમાં ભગવાન વિષ્ણુની પાસે ગઈ અને અત્યાચારીઓનો નાશ કરવાનો આગ્રહ કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પૃથ્વીને વચન આપ્યું કે તે ધર્મની સ્થાપના કરવા માટે મહર્ષિ જમદગ્નિના પુત્રના રૂપમાં અવતાર લઈ અત્યાચારિઓનસર્વનાશ કરશે.
મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઈપણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર ઈત્યાદિ જોવાની જરૂર હોતી નથી. અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે કરાયેલાં દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે. કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.. તેથી તે ‘યુગાદિ તિથિ’ મનાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજને ‘પરશુરામ જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું વધારે મહત્વ છે. આ પર્વ પર મેળા, શોભાયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે.
પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકાને જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો. જે પ્રસાદમાં ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો, તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિયકુળમાં જ્ન્મ્યા હોવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા.
પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસવાર નિઃક્ષત્રિય કરી હતી.