Gujarati Calendar 2024

ગુરુ પૂર્ણિમા

     અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર ગુરૂના સન્માન અને પૂજનનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો. શાસ્ત્રોમાં ‘ગુ’ શબ્દનો અર્થ અંધકાર થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. જો કે, આજના જમાનામાં તો શાળા-કોલેજના ભણતરમાં શિક્ષકો-પ્રોફેસરો અને ગાઈડલાઈન આપતા તમામ ટ્યુટર્સ ગુરૂ છે. ત્યારે સામાન્ય રીતે તો વિદ્યાર્થીઓ આ ગુરૂઓનું પૂજન કરીને આ દિવસ મનાવતા હોય છે. પરંતુ દેશમાં કોરોના મહામારીને કારણે ચાલી રહેલા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન અભ્યાસ દરમિયાન જ બાળકો ગુરૂઓને શુભેચ્છા પાઠવી શકે છે. “ગુરુ ગોવિંદ દોનોઉ ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય” ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમકે, ગુરુએ આપેલ જ્ઞાન મારફતે જ શિષ્ય યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. ગુરુ અને ઈશ્વર બંને સાથે ઉભા છે માટે કોને પહેલા પગે લાગવું તે મૂંઝવણ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે, તેમણે જ ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી પહોચવું અશક્ય હતું. મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનારી માતા છે, પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન મનુષ્યના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિઆવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન, ગુરુ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.

      મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.

Related Post

સ્વાતંત્ર્ય દિન

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની...

Read More

મહોરમ

ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય...

Read More

બકરી ઈદ

ઈદ ઉલ જુહા (બકર ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ...

Read More

અષાઢી બીજ

ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ કરોડો...

Read More

More Post

શરદ ઋતુ

દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન...

Read More

વર્ષા ઋતુ

દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદ...

Read More

હેમંત ઋતુ

ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ . ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો , ઉનાળો અને ચોમાસુ ત્રણ...

Read More

શિશિર ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ...

Read More